રજાઓમાં (વેકેશનમાં ) વાંચવાલાયક પુસ્તકોની નામાવલી !

(ફોટો શ્રોત : ગુગલ ઈમેજીસ માં થી )

ફરી પાછુ સમર વેકેસન આવી રહ્યું છે ને મનગમતા પુસ્તકો, ફિલ્મો , વગેરે  વાંચવાનો, માંણવાનો  ભરપુર સમય લાવી રહ્યો છે . આ વખતે વર્ષના પુસ્તકો લેવાના બજેટ માં પણ ખાસો વધારો કરવા માં આવ્યો છે . ટોટલ 15 પુસ્તકો નો ઓર્ડર આપાય ગયો છે . આ વર્ષ ના મંગાવેલા  પુસ્તકોનું લીસ્ટ નીચે પ્રમાણે છે .

1. રાહુલ દ્રવિડ : ટાઈમ લેસ સ્ટીલ
2. અ બાઈઓ ગ્રાફી ઓફ રાહુલ દ્રવિડ
3. ઓઉટ ઓફ ધ બ્લુ : રાજસ્થાન રોડ ધ રણજી
4. ધ વિનિંગ વે : લેર્નીંગ ફ્રોમ સ્પોર્ટ્સ ફોર મેનેજર
5. વોહટ ઈસ મેથેમેટિક્સ ?
6.ફેર્મેત’સ લાસ્ટ થીઓરમ
7. ધ કોડ બૂક : ધ સિક્રેટ હિસ્રટ્રી ઓફ કોડ એન કોડ બ્રેકીંગ
8. દે ટૂ દે ઇકોનોમિકસ
9. અસુરા : ટેલ ઓફ ધ વેન્ક્વીશડ
10. મીથ : મીથ્યા
11.ધ રોઝાબેલા લાઈન
12. ધ શેડો થ્રોન
13. ધ માઈન
14. ગુજરા હુઆ જમાના
15. ગાતા રહે એ મેરા દિલ

હરેક પુસ્તક નો વંચાય ગયા બાદ રીવ્યું અહીં પુસ્તક પરિચય વિભાગ માં મુકવાનો વિચાર છે, તો સાથે સાથે એક નવો વિચાર પણ સળવળી રહ્યો છે કે બ્લોગ ઉપર એક પુસ્તક પેજ ચાલુ કરું જેમાં મારી પાસે ના બધા પુસ્તકો નું લીસ્ટ મુકું જેથી રસ ધરવતા મિત્રો સાથે પુસ્તકો ની અદલા બદલી કે વંચાય ગયેલા ને હવે ના જોઈતા પુસ્તકો બીજા પુસ્તકો સાથે બદલી શકાય . સાથે મુંબઈ માં રેહતા  રસ ધરવતા મિત્રો જો મળે તો એક બૂક કલબ બનાવી છે  જેમાં હર મહી ને મળી ને પોતાના વાંચેલા પુસ્તકો વિષે  વિચારો ની આપલે તેમજ કોઈ એક પુસ્તક પર વિસ્તાર થી ચર્ચા કરી શકાય .  રસ ધરવતા મિત્રોને  સૂચનો આપવા વિનંતી !

એક સરસ રાજકીય થ્રીલર નોવેલ-‘Chanakya’s Chant ‘ !!

(ફોટો શ્રોત- ગુગલ ઈમેજીસમાં થી)

ભારતીય રાજકારણ જેના પ્રદાન ને નામ વગર અધૂરું ગણાય તેવા પ્રખર રજનીતીગ્ય એટલે વિષ્ણુગુપ્ત , જેઓ ‘ચાણક્ય’ ના નામે ખુબ પ્રખ્યાત છે, તેમેના દ્વારા અપાયેલી કે લખાયેલી ચાણક્ય નીતિ આજે પણ આટલા વર્ષે એટલીજ પ્રસ્તુત છે જેટેલી તે વખતે હતી. રાજકારણ ના પાયા સમાન ચાણક્ય નીતિના  સુત્રો ના  રચિયતા એવા ચાણક્ય ભારત વર્ષ માં એક આદર્શ રાજકારણી રહ્યા છે ને ભારતીય ઈતિહાસ ના દરેક મોટા નેતાઓ ની કોઈ ના કોઈ સમયે તેમની સાથે સરખામણી જરૂર થઇ હશે ! તેઓ ભલે પોતે રાજા  કે સમ્રાટ ના બન્યા પણ તેમની કીર્તિ કોઈ રાજા કે સમ્રાટ કરતા ઓછી નથી. ભારતવર્ષ ના પહેલા ચક્રવતી સમ્રાટ એવા ચંદ્રગુપ્ત ના  રાજ્ય કાળ થી શરુ કરી ને અખંડ એવા ભારતવર્ષ નો પાયો નાખવામાં તેમનો બહુમુલ્ય ફાળો રહ્યો છે ! તેથીજ તેઓ ઈતિહાસ નું એક ચીરકાલીન પાત્ર ને લોકો ના રસનો વિષય રહ્યા છે, આજે પણ તેમના ચાણક્ય નીતિ સુત્રો આધારિત કેટલાય  પુસ્તકો  કેટલીય ભાષામાં પ્રગટ થયા છે તો   નાટકો, સીરીયલો, વગેરે પણ એટલાજ બન્યા છે !

ચાણક્ય ના જીવનકાર્ય ને તેમના પાત્ર આધારિત વધુ એક પુસ્તક પણ શુષ્ક શુષ્ક લખાણો કરતા એક રસમય પોલીટીકલ થ્રીલર નોવેલ ના રૂપ માં રજુ કર્યું છે આશ્વિન સાંઘી એ. આ પુસ્તક ના રજુ થાય ના ખુબ ટૂંક સમય માં ભારતીય નોવેલો ની બેસ્ટ સેલેર લીસ્ટમાં સ્થાન પામ્યું છે ને હજી પણ એટલુજ લોકપ્રિય રહ્યું છે. આ નોવેલ આમ તો અશ્વિન ની બીજીજ નોવેલ છે  પણ ભારતીય એંગ્રેજી નોવેલ માં ખુબ જડપથી પોતનું નામ ટોચ પર લાવી દીધું છે. અશ્વિન વ્યવાસ્યે તો એક આન્ત્રોર્પ્રોનર છે પણ ઈતિહાસ, માયથોલોજી, રાજકારણ ને ધર્મ ઉપર લખવું ખુબ ગમે છે.  પોતાની ફુરસદે  પોતાના મનગમતા વિષયે લખતા રહે છે. હાલ માં તેઓ પોતાના બીઝનેસ સાથે સાથે ક્રેઅટીવ રાઈટીંગ માં યેલે જેવી પ્રતિસ્થ યુનીવરસીટીમાં થી Phd કરી રહ્યા છે.

નોવેલ માં વાત છે  ૨૩૦૦ વર્ષ પહેલા ભારત ના કાલ ખંડ ની કે જયારે  વિષ્ણુ ગુપ્ત નામનો એક   બ્રાંમણ અખંડ ભારત નું સપ્ન સેવે છે ને પોતાના આ સપનાને સાકાર કરવા શરુ કરે છે પોતાનું રાજકીય જીવન જે એને એક સામાન્ય શિક્ષક માંથી બનાવી દે છે એક વિચક્ષણ રાજકરણી ચાણક્ય. નોવેલ માં ૨૩૦૦ વર્ષ પછીના ભારતની પણ વાત સાથે સાથે ચાલે  છે જેમાં  ગંગાસાગર મિશ્ર નામનો  એક બ્રાંમણ  ઝૂપડપટ્ટી માં જન્મેલી બાળકી ને વડાપ્રધાન ની ખુરશી સુધી પહોચાડવાની પોતાની  મહત્વકાંક્ષા પૂરી કરવા શરુ કરે છે રાજકારણ ની આડી-અવળી , ઉભી-સીધી રાજરમત. લેખેકે ૨૩૦૦ વર્ષ પહેલા ના ચાણક્યે ખેલેલી રાજરમત  આજે પણ કેટલી પ્રસ્તુત છે તે ખુબ અદભુત રીતે બતાવ્યું છે. વાંચક ને જકડી રાખે ને હરેક ચેપ્ટરે હવે શું થશે તેવી ઉત્કંઠા  જગાડે તેવી સરસ નોવેલ લખી છે. ૪૫૦ જેટલા પાના ને ૨૦ ચેપ્ટર માં પથરાયેલી આ નોવેલ લેખેક ખુબ બધા સંસોધનને આધારે લખી છે.  નોવેલ ને  ફીકસન વાંચવાનું પસંદ કરતા દરેક વાચકમિત્રોએ વાંચવા જેવી નોવેલ. નોવેલ માટે અશ્વિન તેમજ અમયે નાયકે તૈય્યાર કરેલા શક્તિ મંત્ર પણ ખુબ સરસ રીતે સંગીતબદ્ધ કરવામાં આવ્યો છે. રસ ધરાવતા વાચક મિત્રો અહીં તે મંત્ર ને માણી શકે છે. લેખકના જણવ્યા પ્રમાણે આ નોવેલ પર થી ફિલ્મ બનવાના હક્કો વેહ્ચાય ગયા છે ને જલ્દીજ  આ નોવેલ ફિલ્મ રૂપે જોવા મળે તો નવાઈ નહિ લાગે. આ નોવેલ તેમજે લેખક વિષે વધુ માહિતી મેળવા વાચક મિત્રો અહીં મુલાકાત લે. ફ્લીપકાર્ટ ઉપર આ નોવેલ ની પેપર બેક આવૃત્તિ ૩૫ ટકા ના માતબર વળતરે ઘરબેઠા મેળવી શકે છે.

એક્સ્ટ્રા બાઈટ: ચાણક્ય ને કેન્દ્રવર્તી પાત્ર બનાવીને મિહિર ભુતા દ્વારા લિખિત ને મનોજ જોશી જેવા કસાયેલા કલાકાર દ્વારા દિરદક્ષિત ને અભિનીત નાટક ‘ચાણકય‘ જોવુજ રહ્યું ! આ નાટક વિષે વધુ વાત ફરી કયારે પણ જો વાચક મિત્રો ને પોતાના શહેર માં આ નાટક જોવા મળે તો ચૂકવું નહિ , નાટક પછી એક વિચાર , એક અલગજ અનુભૂતિ લઈને દર્શકો ઘરે જશે તે નક્કી !!

‘લતા એક દંતકથા’ -પુસ્તક વિષે કેટલીક વાતો -2

લતાજી, અમિતજી  વગેરે મહાનુભાવો ની જીવન જરમર જોઈએ તો તેમના વય્ક્તીતવની  કેટલીક વાતો ખુબ મળતી-જુળતી છે. પોતાના શેત્રમાં પોતાની શ્રેષ્ઠા થી કામ કરવું, આટલી ઉમર થાય પછી પણ એટલીજ  શિસ્ત પૂર્વક કામ કરવું, કામ વખતે જેટલી પણ વાર રિહર્સલ કરવું પડે તો પણ જરાપણ કંટાળવું નહિ, કોઈપણ ગીત/શુટિંગ વક્તે સમય પહેલા આવી જવું. જાહેર જીવનમાં હમેશા નમ્ર  ને વિવેકી સ્વભાવ રાખવો. હજી પણ કોઈ નવી રચના/કે પાત્ર સામે આવે તો કઈ નવું શીખવાની તૈયારી રાખવી, જેટલું અઘરું કામ એટલીજ  કામ કરવાની વધુ તાલાવેલી. મારા મતે આજે પણ, આટલા વર્ષે, જો આવા મહાનુભાવો ને કામ કરવા માટે જો કાઈ પ્રોત્સાહિત કરતુ હશે તો  કાઈ નવું કરવાની ચાહ કે નવી કોઈ ચુનૌતી ને પડકારવાનુજ હશે  નહિ કે કોઈ આર્થિક વળતર કે કીર્તિ ની અપેક્ષા.

આમ તો પુસ્તક માં એટલા બધા પ્રસંગો ને વાતો છે કે તેમનો અછડતો પણ અહીં ઉલ્લેખ કરવો શક્ય નથી. એટલે પુસ્તક વિષેની બીજી કેટલીક માહિતી સાથે લતાજી ની  કેટલીક જાણી-અજાણી વાતો તરીકે અહીં ખુબ ટૂંક માં મૂકી છે.  ડો. શરદ ઠાકર તેમની પ્રસંગો ની ગુથણી ને લખાણ ની પ્રવાહિતા માટે ખુબ જાણીતા છે પણ આ પુસ્તકના, મારા મતે, અનુવાદ માં તેમની કલમ ની સશકતા અનુભવી નથી શકાતી ને અજાણે તેમની સરખામણી બકુલ  દવે  ના અમિતાભ બચ્ચન વિશેના ગુજરાતી પુસ્તક ના અનુવાદ સાથે થઇ જાય છે. કદાચ તેમને અનુવાદ માટે ની કેટલીક મર્યાદાઓ નડી હશે. ખેર, અનુવાદની આ કુત્રીમતા તરફ જો ધ્યાન ના દેવાય તો ગુજરતી માં આ પુસ્તક આપવા માટે શરદજી નો ખુબ ખુબ આભાર માનવોજ પડે. હરેક સંગીત ને લતા પ્રેમીઓએ વસાવા જેવું પુસ્તક. હિન્દી ફિલ્મો ના અભ્યાસુઓ માટે પણ ખુબ ઉપયોગી પુસ્તક.

લતાજી ની કેટલીક જાણીતી-અજાણી વાતો

૧. લતાજી આમ આમ તો અડધા ગુજરતી છે તે જાણી આપણે ગુજરાતીઓ વિશેષ અભિમાન લઇ શક્ય છીએ. તેઓના માતા ગુજરાતી હતા (તેમના પિયરની બીજી અટક પણ ગુજરાતી હતી ) ને તેમનું નામ શેવંતી હતું ને તેમના નાના શેઠ શ્રી હરિદાસ રામદાસ લાડ, થાળનેર નગર ના ખુબ આગળ પડતા વેપારી ને જમીનદાર હતા !
૨. લતાજી ને દારૂ થી સખત નફરત છે, ને તેમની હાજરી માં કોઈ શરાબ લે તે પણ પસંદ નથી કરતા.
૩. લતાજી ને સફેદ સાદી ને જુદા જુદા કલર ના પાલવ  નો ખુબ શોખ છે.
૪.તો હમેશા કોઈ પણ ગીત ને પ્રથમ પોતાના અક્ષરોમાં ઉતારી લેછે  ને પછીજ  ગાય છે.
૫. તેઓ સ્ટેજ કે રેકોર્ડીંગ સ્ટુડીઓ માં જયારે પણ પ્રવેશે છે ત્યારે તેઓ ખુલ્લા પગેજ આવે છે.
૬. તેમને ચટપટી વાનગીઓ ને મીઠાઈઓ પણ ખુબ ભાવે છે ને ખુબ શોખ થી ખાય છે.
૭. તેમની દ્રષ્ટિ એ તેમનું સર્વાંગ સંપૂર્ણ ગીત  મદન મોહનજી એ તૈયાર કરેલું “બૈરન નીંદ ના આયે મોહે …’ ,ચાચા જિંદાબાદ ફિલ્મનું છે.
૮. તેમની મનગમતી ફિલ્મ છે પડોસન જે તેઓ અવાર નવાર જોતાજ હોય છે.
૯. ફોટોગ્રાફી નો તેમને ખુબ શોખ છે એમાં પણ પોરટ્રેટ લેવા તેમને ખુબ ગમે છે,
૧૦. લેકિન ફિલ્મ નું ‘યાર સીલી સીલી ‘ જેવું અઘરું ગીત ફક્ત તેમના એકજ પ્રય્તનમાં લેવામાં આવ્યું હતું.
૧૧. લતાજી નું ઓપી નૈયર સાથે એક પણ ગીત નથી જે  સંગીત રસિકો માટે હમેશા કોયડા સમાન રહ્યું છે (આ પુસ્તક માં તેનો પણ ઉલ્લેખ છે ને તેઓ નું એક બીજા સાથે કામ ના કરવાનું કારણ એક નાની એવી ગેર સમજણ બતાવામાં આવ્યું છે !)
૧૨.તેઓ ઈજિપ્ત ની ગાયિકા ઉમ્મે કુલસુમ ના પ્રશંસક છે.
૧૩. લતાજી ને પેરીસ બ્રાંડ ના અતરો ખુબ ગમે છે, ને તેમને દાગીનામાં હીરાનો પણ ખુબ શોખ છે.
૧૪. તેઓ એ ૪/૫ ફિલ્મો માં ઉપનામે સંગીત પણ આપ્યું છે.
૧૫. તેમણે ત્રણ હિન્દી ને એક મારાથી ફિલ્મ નું નિર્માણ પણ કર્યું છે.
૧૬.મેહેલ ફિલ્મ ના ખુબ જાણીતા ગીત “આયેગા આને વાલા..” માટે પુરસ્કાર ચૂકવાયો ન હતો.
૧૭. તેમણે સૌથી વધુ ગીતો (૬૯૬) લક્ષ્મીકાંત -પ્યારેલાલા માટે ગાયા છે.
૧૮. સૌથી વધુ યુગલ ગીતો ( ૪૪૦) રફીજી સાથે ગાયાં છે.
૧૯. પાકિસ્તાન ચાલી ગયેલા ગાયિકા ને અદાકારા નુરજહાં તેમના ખુબજ નિકટ ના મિત્ર હતા.
૨૦. સૌથી વધુ તેમણે ગાયિકાઓ સાથે ગયેલા ગીતો (૭૪) આશાજી સાથે છે.

પુસ્તક વિષેની માહિતી

પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન  કાર્યલય
કીમત : ૩૦૦ રૂપિયા
અનુવાદક: ડો. શરદ ઠાકર

એક્સ્ટ્રા બાઈટ:

ફિલ્મ સંગીત ના રસિયાઓ માટે જલસો છે , ગૂગલ ફિલ્મ સંગીત માટે નું પોતાનું પૂરું કલેકસન બનાવી રહ્યું છે, હજી પ્રાથમિક પગથીયે છે પણ જલ્દીજ તે વિકસતું  થઇ જશે તેવી આશા છે.

ગૂગલ હિન્દી ફિલ્મ માટે નું કલેકસન

‘લતા એક દંતકથા’ -પુસ્તક વિષે કેટલીક વાતો -૧

લતાજી (ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસમાંથી)

લતાજીના જન્મ દિવસ પર આ પુસ્તકની જે વાત કરી હતી તે હાલમાંજ વાંચીને પૂરું કર્યું. પુસ્તક નહિ પણ જાણે વીતેલા જમાનાની નાનકડી સંગીત ની સફર પૂરી કરી હોય તેવું લાગ્યું. પુસ્તક ના મૂળ લેખક છે શ્રી હરીશ ભીમાણી સાહેબ કે જેઓ રેડીઓ  કાર્યક્રમ ના સંચાલક તેમજ ઉદઘોસક તરીક ખુબ પ્રખ્યાત થઇ ચુક્યા છે તેમ છતા પણ પુરા ભારતમાં મહાભારત  ટીવી શ્રેણી ના સુત્રધાર ‘સમય’ તરીકે જ  વધુ ઓળખાય છે. આ પુસ્તક વાંચ્યા પછી તેમની એક લેખક તરીકેની ઓળખાણ પણ યાદ રાખવા જેવી છે. મૂળ તો આ પુસ્તક અંગ્રેજીમાં ૧૯૯૫ માં પ્રગટ થયલું છે પણ ડો. શરદ ઠાકરજી એ કરેલો પુસ્તક નો ગુજરાતી અનુવાદ ૨૦૦૬ માં “લતા એક દંતકથા” ને નામે પ્રગટ થયો છે.

લતાજી ના વિદેશ પ્રવાસ ના કાર્યક્રમ માટે  સુત્રધાર/ઉદ્ઘોષક તરીકે લેખકની પ્રથમ વાર લતાજીના વ્યવસાયિક વર્તુળમાં પ્રવેશથી લઈને  ૧૪ વરસ ના સમય ગાળા માં  લતાજી ના અંતરંગ વર્તુળમાં આવા સુધીના અનુભવોમાં થી આ પુસ્તક નો પીંડ બંધાયો છે.  આ પુસ્તકને સંપૂર્ણ રીતે તો લતાજી ની જીવની ના કહી  શકાય પણ તેમના જીવન ની ઘણી અંગત વાતો , તેમના વિશે લોકમાનસ માં પ્રચીલિત વાયકાઓ, તેમના કારકિર્દી ના સંઘર્ષ વગેરે ની વાતો ખુબ ઊંડાણ પૂર્વક ચર્ચવામાં આવી છે. સાથે સાથે લતાજી ની સાથે સંકળાયેલી  કેટલીયે  અલભ્ય તસ્વીરો પણ આપી ને જાણે સોના માં સુગંધ ભળી હોય તેવું લાગ્યું.

૪૫૦+ પાનાઓ ને ૨૦ પ્રકરણો માં પથરાયેલું પુસ્તક ‘ના ભૂતો ના ભવિષ્ય’ જેવા લતાજી ની ખુબ નજીક થી પરિચય ને મુલકાત કરાવે છે. મારા જેવા નવી પેઢી ના વાચકો ને હિન્દી ફિલ્મ સંગીત ના વીતેલા જમાનાની કેટલીય અજાણી વાતો, તે વખત ના સંગીત નિર્માણ ની વાતો, દિગ્ગજ કહી શકાય તેવા સંગીત નિર્દેશકો ને કલાકારો નો પરિચય, વગેરે જાણવા મળી શકે છે. ઉદાહરણ પૂરતા કેટલાક નામો જોઈએતો, ખેમચંદ પ્રકાશ, ગુલામ હૈદર, અનીલ બિસ્વાસ, નૌશાદ, વસંત દેસાઈ , ખૈયામ, સી. રામચંદ્ર, મદન મોહન, સલીલ ચોધરી, હેમંત કુમાર, જયદેવ, વગેરે.  લતાજી નો કૈક અંશે આંતરમુખી કહી શકાય તેવો સ્વભાવ ને જાહેર માં ખુબ ઓછુ બોલવા વાળા વ્યક્તિ રહ્ય છે. એટલે આટલા પ્રસિદ્ધ ને લોકલાડીલા વ્યક્તિત્વ સાથે અને વાતો -વાદ -વિવાદ જોડવું પણ નિશ્ચિતજ છે. તેમાં પણ લતાજી જેઓ કોઈપણ વાતનો ખુલાસો કે જાહેર નિવેદનો પણ જલ્દીથી નાં આપે એટલે તેમની આજુ બાજુ એક દંતકથા સમું આવરણ છવાય જવું ખુબ સ્વાભાવિક છે. આવીજ કેટલીક વાતો ના ઉદાહરણ  જોઈએતો, તેઓ બીજી કોઈ ગાયિકાને પોતાની કારકિર્દી બનાવા નથી દેતા, તેઓ ખુબ રૂપિયા કમાતા હોવા છતાં લોકો ને ખાસ મદદ નથી કરતા, વગેરે.

મેં અત્યાર સુધીના સાંભળેલા/વાંચેલા દુનિયાભરના મહાનુભાવો વિષે કહી શકાય કે  એક વાર તેમની કારકિર્દી પ્ર્થાપિત થયા પછી તેમને પડતી પણ જોવીજ પડી છે ને તેમની કારકિર્દી નો સૂર્ય પણ આથમ્યો છે પણ મારા મતે લતાજી એવા વ્યક્તિ છે કે જેમની કારકિર્દી માં ક્યારેય પડતી નથી આવી પણ વર્ષો ના વર્ષે પ્રગતિજ સાધી છે. એવું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નહિ હોય કે તેમની લોકચાહના ને પ્રગતી નો  સૂર્ય  હમેશા માધ્યાનેજ  તપે છે. ને આ પાછળ છે સંગીતને માટે એક સંપૂર્ણ સમર્પિત જીવન, પોતાના સંગીત ના નિયમો વિરુધ કોઈપણ પ્રકાર ની બાંધ છોડના કરવાની જીદ, હરેક ગીતમાં એક સંપૂર્ણ ને પોતાની શ્રેષ્ઠ ગાયકી નું નિરૂપણ.

કેટલીક વધુ વાતો  હવે પછી.